સુત્રાપાડા તાલુકો

વિકિપીડિયામાંથી
સુત્રાપાડા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોગીર સોમનાથ
મુખ્ય મથકસુત્રાપાડા
વિસ્તાર
 • કુલ૩૨૬.૭ km2 (૧૨૬.૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૧૨૨૪૦૬
 • ગીચતા૩૭૦/km2 (૯૭૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

સુત્રાપાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો છે. સુત્રાપાડા આ તાલુકાનું મુખ્યમથક છે.

સુત્રાપાડા તાલુકાનો વિસ્‍તાર ૩ર૬.૭ ચો.કિ.મી છે. ચ્યવન ઋષિનો આશ્રમ તેમજ ભૃગુ ૠષિ દ્વારા સ્‍થાપિત આશ્રમ, કે જેનો વિક્રમાદિત્ય રાજાએ જિર્ણોદ્ધાર કર્યો હતો તે અહીં આવેલા છે. S-GJ-175 હેઠળ જાહેર કરવામાં આવેલું રાજ્ય સંરક્ષિત સ્મારક પુરાતન ગાયત્રી મંદિર પણ આ તાલુકાનાં પ્રશ્નાવડા ગામ નજીક આવેલું છે. તાલુકાનાં મુખ્યમથક સુત્રાપાડાથી ર કિ.મી.નાં અંતરે ગુજરાત હેવી કેમીકલ્‍સ લી.ની સોડાએશ (ધોવાનો સોડા)ની વિશાળ ફેકટરી આવેલી છે. આ ઉપરાંત મોરાસા ગામમાં સિમેન્ટ ફેક્ટરી પણ સ્થાપવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાનો મુખ્ય પાક મગફળી છે.

વસ્તી[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુત્રાપાડા તાલુકાની વસ્તી ૧૯,૪૮૬ કુટુંબોમાં કુલ ૧,૨૨,૪૦૬ છે જેમાં ૬૨,૪૩૫ પુરુષો અને ૫૯,૯૭૧ સ્ત્રીઓ છે.[૧]

સુત્રાપાડા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

સુત્રાપાડા તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]