અપરિગ્રહ

વિકિપીડિયામાંથી

અપરિગ્રહ એ અનાવશ્યક સંચય ટાળવાની સંકલ્પના છે[૧], આ સંકલ્પના જૈન અને રાજયોગ કે અષ્ટાંગ યોગ આ બંને દર્શનોનો એક ભાગ છે.અ સંકલ્પનાનો અર્થ એવો છે કે - અનુગામીએ પોતાના માટે આવશ્યક સિવાયની વસ્તુઓનો સંચય ન કરવો સંગ્રહ ન કરવો. જોકે સાધુઓને તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવાની મનાઈ હોય છે.

જૈન ધર્મના મૂળ પાંચ સિદ્ધાંતો માં નો આ એક છે. જેમાં અપરિગ્રહ ઉપરાંત અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને સત્ય. આ પાંચ અણુવ્રતો માં નો પણ એક છે.

રાજયોગ પરંપરામાં આત્મ સંયમ સંબંધી પાંચ યમો માંનો આ એક યમ છે. (અન્ય ચાર યમો છે અહિંસા,સત્ય, અસ્તેય, અને બ્રહ્મચર્ય.)


અપરિગ્રહ એ સંસ્કૃતમાં લાલચ રહિત કે હદવાની વૃત્તિના નિષેધનો સમાનાર્થી છે. અસ્ત્યથી વિપરીત અપરિગ્રહ એ જરૂરિયાત પૂરતી વસ્તુ રાખવાનો અને અન્ય સૌ વસ્તુનો ત્યાગ સૂચવે છે. આ સંકલ્પના બેંટ વસ્તુના અસ્વીકારના સમર્થક તરીકે પણ જોઈ શકાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. નૅન્સી ગેર્સ્ટીન (૨૦૦૫). ગાઈડિંગ યોગાસ્ લાઈટ: યોગા લેસન્સ ફોર યોગા ટીચર્સ. પેન્ડ્રાગોન. પૃષ્ઠ ૧૪૦. ISBN 9780972280983.