લખાણ પર જાઓ

નારાયણ સરોવર (તા. લખપત)

વિકિપીડિયામાંથી
(નારાયણ સરોવર થી અહીં વાળેલું)
નારાયણ સરોવર (તા. લખપત)
  ગામ  
નારાયણ સરોવર
નારાયણ સરોવર
નારાયણ સરોવર (તા. લખપત)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°40′30″N 68°32′19″E / 23.675086°N 68.538627°E / 23.675086; 68.538627
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
રણછોડરાયજી મંદિર

નારાયણ સરોવર (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

નારાયણ સરોવર

[ફેરફાર કરો]

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. શ્રીમદ્ ભાગવતમ્ માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે.[][][] નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર.[][][] પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. [][]

આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી, લક્ષ્મીનારાયણ, ગોવર્ધનનાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. રાવ દેશળજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યાં છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે.[][] લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે.[] બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે. [] [] અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.[] અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે.[]

હિંદુ પૌરાણીક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરોના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર.[] કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે.[]

મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવન કાળ દરમ્યાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે.[]

નજીકમાં આવેલ નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા અને અન્ય પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-26. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. 1 2 3 4 5 Encyclopaedia of tourism resources in India, Volume 2 By Manohar Sajnani
  3. 1 2 3 "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. 1 2
  5. 1 2 3 "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  6. Gujarat–Daman–Diu: A Travel Guide By Ward.
  7. One outlet of the Saraswati into the sea was at Lokpat which was also a major seat of learning and a port. Further downstream was Narayan Sarovar which is mentioned in the Mahabharta as a holy place.
  8. 1 2 Shree Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory of our fore-fathers : Page :27 by Raja Pawan Jethwa. (2007) Calcutta.
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન