લદ્દાખ સ્કાઉટ્સ

વિકિપીડિયામાંથી
લદ્દાખ સ્કાઉટ્સ
રેજિમેન્ટ ચિહ્ન
સક્રિય૧૯૬૩–હાલ સુધી
દેશ India
શાખાભારતીય ભૂમિસેના
પ્રકારપાયદળ
ભાગપહાડી લડાઈ
કદ૫ પલટણ
હૂલામણાં નામો"હિમ યોદ્ધાઓ" અથવા "હિમ વાઘ"
યુદ્ધ ઘોષકી કી સો સો લ્હારગ્યાલો (પ્રભુનો જય હો).

લદ્દાખ સ્કાઉટ્સ ભારતીય ભૂમિસેનામાં એક રેજિમેન્ટ છે, તેનું હુલામણું નામ "હિમ યોદ્ધાઓ" અથવા "હિમ વાઘ" છે.[૧] તે પહાડી લડાઈમાં નિપુણતા ધરાવે છે અને તેનો પ્રાથમિક કાર્યક્ષેત્ર લદ્દાખ વિસ્તારના ઉંચાઈ પર આવેલા હિમાચ્છાદિત વિસ્તારોનું રક્ષણ કરવાનું અને જમ્મુ અને કાશ્મીરના રક્ષણમાં ફાળો આપવાનું છે.

કર્નલ એસ પી સાળુંકે દ્વારા તેને ઉભી કરવામાં આવેલ અને તેને ૨૦૦૦ની સાલમાં સંપૂર્ણ રેજિમેન્ટનો દરજ્જો આપવામાં આવેલ. તેમાં સૈનિકોની ભરતી મુખ્યત્વે ભારતની લદ્દાખી અને તિબેટી સમુદાયના લોકોમાંથી કરવામાં આવે છે. તે ભૂમિસેના સૌથી વધુ પુરસ્કૃત રેજિમેન્ટમાંની એક છે. તેના સૈનિકોને ૩૦૦થી વધુ વીરતા પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર મળેલ છે. જેમાં એક અશોક ચક્ર, દસ મહાવીર ચક્ર અને બે કીર્તિ ચક્ર સામેલ છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

૧૯૪૮માં લદ્દાખ વિસ્તારની પહાડી સરહદના રક્ષણ માટે સ્થાનિક લદ્દાખી યોદ્ધાઓમાંથી 'નુબ્રા ગાર્ડસ'ની રચના કરવામાં આવી.[૨] ૧૯૫૨માં નુબ્રા ગાર્ડસને જમ્મુ અને કાશ્મીર સૈન્યની (જે બાદમાં જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી બન્યા) સાતમી પલટણમાં વિલિન કરવામાં આવ્યા. ૧૯૫૯માં લદ્દાખમાંથી જ સૈન્યની ૧૪ પલટણ ઉભી કરવામાં આવી.

૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ બાદ જૂન ૧, ૧૯૬૩ ના રોજ જમ્મુ અને કાશ્મીર સૈન્યની સાતમી અને ચૌદમી પલટણમાંથી લદ્દાખ સ્કાઉટ્સની રચના કરવામાં આવી. તેનું પ્રાથમિક કાર્યક્ષેત્ર ઉંચાઈ પર આવેલા સરહદ વિસ્તાર પર નજર રાખવાનું અને તેના પર કબ્જો રાખવાનું હતું.

૧૯૯૯ના કારગિલ યુદ્ધ બાદ જુન ૧, ૨૦૦૦ના રોજ લદ્દાખ સ્કાઉટ્સને રેજિમેન્ટનો દરજ્જો આપવામાં આવ્યો.

જૂન ૨, ૨૦૧૩ના રોજ રેજિમેન્ટ દ્વારા સુવર્ણ જયંતી ઉજવવામાં આવી.

પલટણ[ફેરફાર કરો]

રેજિમેન્ટમાં પાંચ પલટણો છે અને સાથે ભૂમિસેનાની અન્ય શાખાઓ સાથે જોડાયેલા આધારભૂત કર્મચારીઓ છે.

લડાઈઓ[ફેરફાર કરો]

૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ[ફેરફાર કરો]

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ બાદ રેજિમેન્ટની પલટણો દરેક મોટી લડાઈનો ભાગ બની છે. ૧૯૭૧ના યુદ્ધમાં પશ્ચિમી મોરચે રેજિમેન્ટે પુરસ્કાર મેળવ્યા હતા.

ઓપરેશન મેઘદૂત[ફેરફાર કરો]

એપ્રિલ ૧૯૮૪માં લદ્દાખ સ્કાઉટ્સની પલટણો કુમાઉં રેજિમેન્ટ સાથે સિઆચીન હિમનદી કબ્જે કરવા માટે મુકાઈ હતી.[૩]

કારગિલ યુદ્ધ[ફેરફાર કરો]

લદ્દાખ સ્કાઉટ્સ ઓપરેશન વિજય દરમિયાન મોરચા પર મુકાનારા સૌપ્રથમ પલટણોમાંના એક હતા. તેની પલટણોએ અપ્રતિમ વીરતા અને સાહસ દર્શાવી અને અનેક વીરતા પુરસ્કાર મેળવ્યા જેમાં મેજર સોનમ વાંગચુકને મળેલ મહાવીર ચક્ર પણ સામેલ છે. બટાલિક વિસ્તારમાં પોઈન્ટ ૫૦૦૦, ડોગ હિલ અને પદ્મ ગો માટે રેજિમેન્ટને પ્રશસ્તિ પત્ર મળ્યા. તેમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે ઓપરેશન વિજય દરમિયાન રેજિમેન્ટ દ્વારા અદમ્ય સાહસ અને દુશ્મન સામે અડગ મનોબળનો પરચો આપવામાં આવ્યો હતો.

પ્રશસ્તિ[ફેરફાર કરો]

યુદ્ધ સન્માન[ફેરફાર કરો]

  • તુર્તુક, ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

વીરતા પુરસ્કાર[ફેરફાર કરો]

  • મહાવીર ચક્ર મેળવનાર:
    • કર્નલ સોનમ વાંગચુક[૪][૫]
    • કર્નલ ચેવાંગ રિન્ચેન (બાર સાથે)
  • લદ્દાખ સ્કાઉટ્સના સૈનિકોને મળેલા અન્ય પુરસ્કારો:[૧]
    • અશોક ચક્ર
    • ૧૧ મહાવીર ચક્ર
    • ૨ કીર્તિ ચક્ર
    • ૨૬ વીર ચક્ર
    • ૬ શૌર્ય ચક્ર
    • ૩ યુદ્ધ સેવા મેડલ
    • ૨ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક
    • ૧૩ વિશિષ્ટ સેવા ચંદ્રક
    • ૬૪ સેના મેડલ
    • ૧૩ બહુમાન ઉલ્લેખ
    • ૬૭ ભારતીય ભૂમિસેનાના વડા દ્વારા પ્રશસ્તિ પત્ર
    • ૨ જીવન રક્ષા પદક

શિયાળુ રમતો[ફેરફાર કરો]

શિયાળુ રમતો માટે લદ્દાખ સ્કાઉટ્સે અનેક નોંધપાત્ર ખેલાડીઓ આપ્યા છે જેમાં જામયાંગ નામગ્યાલ અને તાશી લુંદુપ મુખ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Ladakh Scouts". GlobalSecurity.org.
  2. "Ladakh Scouts". Indian Army.
  3. "Operation Meghdoot". Indian Army.
  4. "Maj Sonam Wangchuk". Indian Army.
  5. "Major Sonam Wangchuk". Indian Army.

આ પણ જુઓ[ફેરફાર કરો]