કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય

વિકિપીડિયામાંથી
કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય
સ્થાપના૨૪ ઓગસ્ટ ૧૯૯૧
સ્થાનસુરત
સંગ્રહ
Size૨,૮૭,૨૫૦ પુસ્તકો મધ્યસ્થ પુસ્તકાલય
૪૨,૩૧૨ બાળ વિભાગ
૨૮,૩૭૭ સંદર્ભ વિભાગ
૧,૯૬૯ ઇ-પુસ્તકો
૧૭૫ સામાયિકો
૫૫ સમાચારપત્રો
૨૬૦૦ બ્રેઇલ લિપિમાં[૧]
Access and use
Population served૩૬,૨૩૦ સભ્યો મધ્યસ્થ પુસ્તકાલય, ૧૦,૬૨૫ બાળવિભાગમાં અને જાહેર મુલાકાતીઓ
અન્ય માહિતી
બજેટ ૨.૦૪ કરોડ[૨]

કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય એક જાહેર પુસ્તકાલય છે, જે ભારત દેશમાં ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા (મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ઈ. સ. ૧૯૯૧ના વર્ષમાં ઘોડદોડ રોડ પર બનાવવામાં આવેલ છે.[૩] આ લાઇબ્રેરી ૨,૮૭,૨૫૦ પુસ્તકો સાથે આ શહેરનું સૌથી મોટું પુસ્તકાલય છે અને તેના સભ્યો ૪૬,૮૫૫ જેટલા છે. આ પુસ્તકાલયનો કુલ વિસ્તાર ૬૧૫૮ ચોરસ મીટર જેટલો છે અને તે  ૪.૦૩ કરોડના ખર્ચે બાંધવામાં આવી હતી.[૪] આ પુસ્તકાલય ખાતે એક વાંચન રૂમ અને એક અખબાર વિભાગ જાહેર જનતા માટે ખુલ્લો રહે છે. તેને સુરતના પ્રખ્યાત ગુજરાતી કવિ વીર નર્મદનું નામ આપવામાં આવ્યું છે અને તેમની ૧૫૮મી જન્મ જયંતીના અવસરે આ પુસ્તકાલય જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

૧૮મી જાન્યુઆરી, ૨૦૧૧ના દિવસે માહિતી કેન્દ્ર, વરિષ્ઠ નાગરિક માટે અલગ વિભાગ અને દુર્લભ પુસ્તક સંગ્રહ, સભાખંડ અને દૃશ્ય-શ્રાવ્ય ખંડ (ઓડિયો વિઝ્યુઅલ રૂમ) ઉમેરવામાં આવ્યા હતા. તાજેતરમાં આ પુસ્તકાલયનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Narmad Central Library". Surat Municipal Corporation. મૂળ માંથી 18 November 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 May 2013.
  2. "Narmad Central Library". Surat Municipal Corporation. મૂળ માંથી 17 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 16 May 2013.
  3. "Attractions of Surat". મૂળ માંથી 2012-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.
  4. "Narmad Central Library". ઘોડદોડ રોડ, સુરત. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-31.