કસ્તુરબાધામ (ત્રંબા) ‍(તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
કસ્તુરબાધામ
—  ગામ  —
કસ્તુરબાધામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

કસ્તુરબાધામ અને ત્રંબા એમ બે નામથી ઓળખાતુ આ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલુ ગામ છે. આ ગામ પહેલાનાં સમયમાં ત્રંબા તરીકે ઓળખાતુ હતું, પરંતુ ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ કસ્તુરબા આ ગામના વતની હતા એટલે આ ગામનું નામ કસ્તુરબાધામ પડેલ છે. આ ગામમાં આંગણવાડી, પંચાયતઘર તેમજ પ્રાથમિક શાળા જેવી સુવિધાઓ આવેલી છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

કસ્તુરબાધામ હવે શિક્ષણધામ તરીકે પણ વિકસતું જાય છે. અહીં ૪ ઇજનેરી કોલેજો, ૨ એમ.બી.એ. કોલેજો અને ૬ જેટલી શાળાઓ આવેલી છે. આ ગામમાં ૩ નદીઓનો સન્મવય થાય છે.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન