સ્વામિનારાયણ જયંતિ

વિકિપીડિયામાંથી
સ્વામિનારાયણ જયંતિ
સ્વામિનારાયણના જન્મ સમયનું દૃશ્ય
ઉજવવામાં આવે છેભારત અને વિશ્વના હિંદુઓ
પ્રકારહિંદુ
મહત્વસ્વામિનારાયણનો જન્મ
ઉજવણીઓચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ, રામનવમી
ધાર્મિક ઉજવણીઓપૂજા, વ્રત, ઉપવાસ, હવન, દાન અને ઉજવણી
શરૂઆતચૈત્ર સુદ નવમી
અંતચૈત્ર સુદ નવમી
આવૃત્તિવાર્ષિક

સ્વામિનારાયણ જયંતિ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ (૧૭૮૧-૧૮૩૦)ના જન્મદિવસની ઉજવણીનો દિવસ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો તેમના આરાધ્ય દેવના જન્મદિવસની ઉજવણી ચૈત્ર સુદ નોમના દિવસે ઉપવાસ કરીને અને મંદિરોમાં સ્વામિનારાયણની મૂર્તિઓને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરીને કરે છે. તેમનાં અનુયાયીઓ સવારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા વિધિ કરે છે અને રાત્રે ૧૦:૧૦ વાગ્યે જેને ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય માનવામાં આવે છે, તેમના શુભ જન્મના પ્રતીક તરીકે વિશેષ રીતિથી આરતી વિધિ કરવામાં આવે છે.



આ પણ જુઓ[ફેરફાર કરો]