જાન્યુઆરી ૧૭

વિકિપીડિયામાંથી

૧૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૭૩ – કેપ્ટન જેમ્સ કૂકે એન્ટાર્કટિક વૃતની દક્ષિણે સફર કરવાના પ્રથમ અભિયાનનું નેતૃત્વ કર્યું.
  • ૧૯૪૬ – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું પ્રથમ સત્ર યોજાયું.
  • ૧૯૯૨ - દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન જાપાનના વડા પ્રધાન કિચી મિયાઝાવાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કોરિયન મહિલાઓને જાતીય ગુલામી માટે દબાણ કરવા બદલ માફી માંગી.
  • ૧૯૯૬ – ચેક ગણરાજ્યએ યુરોપિયન સંઘના સભ્યપદ માટે અરજી દાખલ કરી.
  • ૨૦૦૭ – ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણના જવાબમાં ડૂમ્સડે ક્લોક (માનવનિર્મિત વૈશ્વિક વિનાશની સંભાવનાનું એક પ્રતિક) ૨૩:૫૫ મિનિટ પર ગોઠવવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૯૬ – બાપાલાલ વૈધ, ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય (અ. ૧૯૯૩)
  • ૧૯૧૭ – એમ. જી. રામચંદ્રન, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને રાજકારણી, તમિલનાડુના ૫મા મુખ્યમંત્રી (અ. ૧૯૮૭)
  • ૧૯૨૧ – અસગર ખાન, પાકિસ્તાની જનરલ અને રાજનેતા (અ. ૨૦૧૮)
  • ૧૯૨૩ – રાંગેય રાઘવ, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૨)
  • ૧૯૫૧ – બિંદુ, ભારતીય ચલચિત્ર અભિનેત્રી
  • ૧૯૬૦ – તુષાર ગાંધી, મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને પત્રકાર

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૫૧ – જ્યોતિ પ્રસાદ અગરવાલ, ભારતીય કવિ, નાટ્યકાર અને દિગ્દર્શક (જ. ૧૯૦૩)
  • ૨૦૧૦ – જ્યોતિ બસુ, ભારતીય વકીલ અને રાજકારણી, પશ્ચિમ બંગાળના ૯મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૪)
  • ૨૦૧૩ – રણછોડદાસ પગી, ભારતીય ભૂમિસેનાના સ્કાઉટ (જ. ૧૯૦૧)
  • ૨૦૧૪ – મોહમ્મદ બુરહાનુદ્દીન, ભારતીય આધ્યાત્મિક નેતા, દાઉદી બોહરા સમુદાયના ૫૨મા દાઈ અલ-મુત્લાક (જ. ૧૯૧૫)
  • ૨૦૧૪ – સુનંદા પુષ્કર, ભારતીય-કેનેડિયન ઉદ્યમિતા,વ્યાપારી અને શશિ થરૂરના પત્ની (જ. ૧૯૬૨)
  • ૨૦૧૪ – સુચિત્રા સેન, ભારતીય ફિલ્મ અભિનેત્રી (જ. ૧૯૩૧)
  • ૨૦૧૬ – વી. રામા રાવ, ભારતીય વકીલ અને રાજકારણી, સિક્કિમના ૧૨મા રાજ્યપાલ (જ. ૧૯૩૫)
  • ૨૦૧૬ – સુધિન્દ્ર તિર્થસ્વામી, ભારતીય ધાર્મિક નેતા અને કાશીમઠના મઠાધિપતિ (જ. ૧૯૨૬)
  • ૨૦૨૨ – બિરજુ મહારાજ, ભારતીય કથક નર્તક (જ. ૧૯૩૭)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]