માર્ચ ૨૩

વિકિપીડિયામાંથી

૨૩ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૨મો(લિપ વર્ષ દરમ્યાન ૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
  • ૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
  • ૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
  • ૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
  • ૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
  • ૧૯૪૦ – અખિલ ભારતીય મુસ્લિમ લીગના વાર્ષિક સામાન્ય અધિવેશનમાં લાહોર ઠરાવ (કરાર્દ-એ-પાકિસ્તાન અથવા કરર્દાદ-એ-લાહોર) રજૂ કરવામાં આવ્યો.
  • ૧૯૪૨ – બીજું વિશ્વ યુદ્ધ : હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો.
  • ૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
  • ૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
  • ૨૦૦૧ – રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
  • ૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
  • ૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૬૧૪ – જહાંઆરા બેગમ, મુઘલ રાજકુમારી (અ. ૧૬૮૧)
  • ૧૮૯૩ – જી.ડી.નાયડુ (G. D. Naidu) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતના 'એડિસન' તરીકે પ્રખ્યાત ભારતીય સંશોધક અને ઇજનેર (અ. ૧૯૪૭)
  • ૧૯૧૦ – રામ મનોહર લોહિયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (અ. ૧૯૬૭)
  • ૧૯૧૯ – સુભદ્રા જોશી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય (અ. ૨૦૦૩)
  • ૧૯૨૩ – હેમુ કાલાણી, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
  • ૧૯૨૪ – વસુબહેન, ગુજરાતના વાર્તા લેખિકા, નવકથાકાર અને અભિનેત્રી (અ. ૨૦૨૦)
  • ૧૯૫૩ – કિરણ મઝુમદાર-શો, ભારતીય પ્રાણીશાસ્ત્રી અને બિઝનેસવુમન
  • ૧૯૭૬ – સ્મૃતિ ઇરાની, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને રાજકારણી
  • ૧૯૮૬ – કંગના રનૌત, ભારતીય અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૩૧ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – સુખદેવ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – રાજગુરુ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૮)
  • ૧૯૬૫ – સુહાસિની ગાંગુલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૯)
  • ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્તકર્તા ભારતીય સૈનિક. (જ. ૧૯૧૩)
  • ૨૦૧૫ – લી ક્વાન યૂ, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • શહીદ દિવસ
  • પાકિસ્તાન દિવસ – (પ્રજાસત્તાક દિવસ)
  • વિશ્વ હવામાનવિજ્ઞાન દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]