જૂન ૯

વિકિપીડિયામાંથી

૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૧મો) દિવસ છે. આ દિવસ

પછી વર્ષ પુરું થવામાં ૨૦૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ઈ.સ. ૫૩ – રોમન સમ્રાટ નીરોએ ક્લાઉડિયા ઓક્ટાવિયા સાથે લગ્ન કર્યા.
  • ૧૯૦૦ – ભારતીય રાષ્ટ્રવાદી બિરસા મુંડાનું બ્રિટિશ જેલમાં કોલેરાથી અવસાન થયું.
  • ૧૯૩૪ – ગુજરાતી ભાષાના સાંજ દૈનિક અખબાર જન્મભૂમિનું પ્રકાશન શરૂ કરાયું.
  • ૧૯૪૮ – યુનેસ્કોના નેજા હેઠળ આર્કાઇવ્સ પર આંતરરાષ્ટ્રીય આર્કાઈવ્સ (અભિલેખાગાર) પરિષદનો પાયો નખાયો.
  • ૧૯૮૫ – ડબગરવાડ હત્યાકાંડ, અમદાવાદ ખાતે કોમી રમખાણની એક ઘટના.
  • ૧૯૯૮ – કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક આવેલા કંડલા બંદર પર ત્રાટકેલા ભયંકર વાવાઝોડામાં ૧૪૮૫ લોકોના મૃત્યુ થયા અને ૧૨૨૬ લોકો લાપત્તા થયા હતા.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૬૯૬ – શિવાજી રાજારામ ભોસલે, મરાઠા સામ્રાજ્યના શિશુ છત્રપતિ (અ. ૧૭૨૬)
  • ૧૭૮૧ – જ્યૉર્જ સ્ટીવન્સન, રેલવે લોકોમોટિવ એન્જીનના શોધક (અ. ૧૮૪૮)
  • ૧૯૩૧ – નંદિની સત્પથી, ભારતીય લેખક અને રાજકારણી, ઓડિશાના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૬)
  • ૧૯૩૭ – રામચંદ્ર ગાંધી, ભારતીય દાર્શનિક, (મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર) દેવદાસ ગાંધી અને (રાજાજીની પુત્રી) લક્ષ્મીના પુત્ર (અ. ૨૦૦૭)
  • ૧૯૪૭ – કિરણ બેદી: ભારતીય પોલીસ અધિકારી, અન્ના હજારેની ચળવળમાં સાથીદાર
  • ૧૯૭૭ – અમિષા પટેલ, ભારતીય અભિનેત્રી
  • ૧૯૮૧ – સેલિના જેટલી, ભારતીય અભિનેત્રી
  • ૧૯૮૫ – સોનમ કપૂર, ભારતીય અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૭૧૬ – બંદા સિંહ બહાદુર, શીખ યોદ્ધા અને ખાલસા સેનાના કમાન્ડર (જ. ૧૬૭૦)
  • ૧૯૦૦ – સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ અને લાઠીના રાજવી (જ. ૧૮૭૪)
  • ૧૯૦૦ – બિરસા મુંડા, ભારતીય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની, ધાર્મિક નેતા અને મુંડા જનજાતિના લોકનાયક (જ. ૧૮૭૫)
  • ૧૯૩૬ – અબ્બાસ તૈયબજી, ભારતીય સ્વાંતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના એક સહયોગી (જ. ૧૮૫૪)
  • ૧૯૯૯ – સૌરભ કાલિયા, કારગિલ યુદ્ધ દરમિયાન શહિદ થયેલા ભારતીય સેનાના અધિકારી (જ. ૧૯૭૬)
  • ૨૦૧૧ – એમ એફ હુસૈન, ભારતીય ચિત્રકાર અને દિગ્દર્શક (જ. ૧૯૧૫)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]