એપ્રિલ ૨૧

વિકિપીડિયામાંથી

૨૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
  • ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
  • ૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
  • ૧૫૦૯ – છત્રપતિ શિવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
  • ૧૫૨૬ – પાણીપતની પ્રથમ લડાઈ બાબર અને લોદી વંશના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
  • ૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરીકે ઘોષિત કરી.
  • ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
  • ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના.
  • ૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
  • ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
  • ૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૯૭ – ભારતના ૧૨મા વડાપ્રધાન તરીકે ઇન્દ્ર કુમાર ગુજરાલનાં શપથ ગ્રહણ.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • બહાઇ ધર્મ – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.
  • રોમ – શહેરનો સ્થાપના દિન.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]