લખાણ પર જાઓ

પીઠડ

વિકિપીડિયામાંથી
પીઠડ
શક્તિ અને વિજયના દેવી
અન્ય નામોપીઠડાઈ, પીઠબાઈ, સોયાસુતા
મંત્રૐ શ્રી પીઠડાઈ નમઃ
શસ્ત્રભાલો
પ્રાણીપાડો
પ્રતીકભાલો
દિવસનવરાત્રી, પીઠડ જયંતિ
વર્ણશ્વેત
ગ્રંથોચારણી સાહિત્ય
લિંગસ્ત્રી
ઉત્સવોનવરાત્રી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવવસંતપંચમી (મહા સુદ પાંચમ)
માતા-પિતાસોયાબાટી અને માલુઆઈ

પીઠડ અથવા પીઠડ માતા હિંદુ ધર્મના એક દેવી છે. તેમનો જન્મ હાલના જામનગરના હાલાર પંથકમાં ચારણ જ્ઞાતિના સોયાબાટીને ઘરે થયો હતો.માન્યતાઓ પ્રમાણે તે પાર્વતીનો અવતાર હતા.

પીઠડ અથવા પીઠડ માતા હિંદુ ધર્મના એક દેવી છે. તેમનો જન્મ હાલના જામનગરના હાલાર પંથકમાં ચારણ જ્ઞાતિના સોયાબાટીને ઘરે થયો હતો. તેમની ગણના પરાશક્તિના અવતાર તરીકે થાય છે. માન્યતાઓ પ્રમાણે તે પાર્વતીનો અવતાર હતા.સદા બ્રહ્મચારી રહ્યા હતા.[પીઠડ જાણી પ્રગટ પણે ૧]

મા પીઠડ ચારણોમાં થઈ ગયેલ આઈઓના આગાવેન એટલે કે 'ટિલાયત' છે સર્વે અવતારી આઈઓએ એમને આ 'દેવી' પર આપ્યું છે.મા પીઠડનું મુખ્ય મંદિર જામનગરના જોડિયા તાલુકાના પીઠડ નામના ગામમાં આવેલું છે,જ્યાં માતાજીના મંદિર શિખર પર બાવન ગજની ધ્વજા શોભાયમાન રહેતી હોય છે.સમગ્ર ગુજરાતમાં બાવન ગજની ધ્વજા એક દ્વારિકાધીશજીને અને બીજી આઈ પીઠડને જ ચડાવામાં આવે છે.[૧]

ગીરમાં આવેલ પાટરામાં ગામમાં મા પીઠડની અલૌકિક રીતે મળી આવેલી લાકડીનું પૂજન થાય છે. આ કારણે ભગવતીને 'લાકડીવાળી' એવું કહીને પણ સંબોધન આપવામાં આવે છે.

ચારણી સાહિત્ય અને લોક કથાઓમાં તેમના અનેક ચમત્કારોની કથાઓ જોવા મળે છે.'પીઠડ જાણી પ્રગટ પણે' નામક ગ્રંથમાં ભગવતી પીઠડના જીવન વિષયક માહિતી મળે છે.

ગુજરાતનાં ઘણાઅં સ્થાનોમાં તેઓ પૂજાય છે. પીઠડિયા અટક લખાવતા બધા પરિવારોના મા કુળદેવી છે સાથોસાથ અન્ય કુળોના તેઓ કુળદેવી છે.

ચારણી સાહિત્ય અને લોક કથાઓમાં તેમના અનેક ચમત્કારોની કથાઓ જોવા મળે છે. ગુજરાતનાં ઘણા સ્થાનોમાં તેઓ પૂજાય છે. પીઠડિયા અટક લખાવતા ઘણા પરિવારો સહિત અન્ય કુળોના તેઓ કુળદેવી છે.



સંદર્ભ ત્રુટિ: "પીઠડ જાણી પ્રગટ પણે" નામના સમૂહમાં <ref> ટેગ વિહરમાન છે, પણ તેને અનુરૂપ <references group="પીઠડ જાણી પ્રગટ પણે"/> ટેગ ન મળ્યો