દુર્ગા
દુર્ગા, અંબા | |
---|---|
અજેય માતૃત્વની દેવી અનિષ્ટ ઉપર શુભનો વિજય | |
દુર્ગા મહિષાસુરમર્દિની, મહિષાસુર (પાડાના સ્વરૂપનો રાક્ષસ-ભેંસાસુર)નો વધ કરનારી. | |
જોડાણો | શક્તિ, દેવી, ગૌરી, ભગવતી, અંબા, કાળી, પાર્વતી, ત્રિપુર સુંદરી, ભવાની, શાકંભરી |
રહેઠાણ | કૈલાસ, મણિદ્વીપ, સર્વલોક |
મંત્ર | ॐ दुं दुर्गायै नमः / ૐ દું દુર્ગાય નમઃ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे / ૐ ઐં હ્રિં ક્લિં ચામુંડાયૈ વિચ્ચૈ |
શસ્ત્રો | ખડગ, ત્રિશૂલ, ધનુષ્ય, શંખ, ચક્ર, ગદા |
વાહન | વાઘ કે સિંહ |
ક્ષેત્ર | સમગ્ર ભારત |
ઉત્સવો | નવરાત્રી |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | શિવ[૧] |
બાળકો | ગણેશ, કાર્તિકેય |
દુર્ગા (સંસ્કૃત: दुर्गा) એક મુખ્ય હિન્દુ દેવી છે, જેને માતા મહાદેવીના મુખ્ય સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. તે રક્ષણ, શક્તિ, માતૃત્વ, વિનાશ અને યુદ્ધો સાથે સંકળાયેલી છે.[૨][૩][૪]
દુર્ગાની દંતકથા શાંતિ, સમૃદ્ધિ અને ધર્મને જોખમમાં મૂકતી દુષ્ટ અને રાક્ષસી શક્તિઓનો સામનો કરવા આસપાસ કેન્દ્રિત છે, જે અનિષ્ટ પર ઈષ્ટની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.[૩][૫] માનવામાં આવે છે કે દુર્ગા પીડિતોની મુક્તિ માટે દુષ્ટો સામે પોતાનો દૈવી ક્રોધ વ્યક્ત કરે છે, જેથી શોષિતોને મુક્તિ મળે અને સર્જનને સશક્ત બનાવવા માટે વિનાશ આવશ્યક છે.[૬] દુર્ગાને એક માતા સ્વરૂપ તરીકે જોવામાં આવે છે અને ઘણીવાર તેને એક સુંદર સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે, જે સિંહ અથવા વાઘ પર સવારી કરે છે, તેનો પ્રત્યેક હાથ એક શસ્ત્ર ધરાવે છે અને ઘણીવાર રાક્ષસોને પરાજિત કરે છે.[૭][૮][૯][૧૦] દેવી-કેન્દ્રિત સંપ્રદાય, શક્તિવાદના અનુયાયીઓ દ્વારા તેમની વ્યાપક પૂજા કરવામાં આવે છે, અને શૈવવાદ અને વૈષ્ણવ ધર્મ જેવા અન્ય સંપ્રદાયોમાં તેનું મહત્વ છે.[૫][૧૧]
શક્તિવાદના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથો, દેવી માહાત્મ્ય અને દેવી ભાગવત પુરાણ', દેવીને બ્રહ્માંડ અને બ્રહ્મ (અંતિમ સત્ય અને વાસ્તવિકતા) ના આદિમ સર્જક તરીકે પૂજે છે.[૧૨][૧૩][૧૪] [૧૫] તેણી હિન્દુ ધર્મની સ્માર્ત પરંપરાની પંચાયતન પૂજાના પાંચ સમકક્ષ દેવી-દેવતાઓમાંની એક છે.[૧૬] ભાગવત પુરાણ મુજબ તેણીને વિષ્ણુની નાની બહેન પણ માનવામાં આવે છે.[૧૭][૧૮][૧૯]
સમગ્ર નેપાળ, ભારત, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં દુર્ગાના અનુયાયીઓ નોંધપાત્ર છે. વસંત ઋતુ અને પાનખર ઋતુના પાક પછી, ખાસ કરીને દુર્ગાપૂજા, દુર્ગા અષ્ટમી, વિજયાદશમી, દીપાવલી અને નવરાત્રીના તહેવારો દરમિયાન તેમની પૂજા કરવામાં આવે છે.[૨૦][૨૧]
દંતકથા
[ફેરફાર કરો]
દેવી સાથે સંકળાયેલી સૌથી લોકપ્રિય દંતકથા તેના મહિષાસુરના વધની છે. મહિષાસુર અર્ધ ભેંસ સ્વરૂપનો રાક્ષસ હતો જેણે સર્જક બ્રહ્માને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. ઘણાં વર્ષો પછી, બ્રહ્મા, તેની ભક્તિથી પ્રસન્ન થઈને, તેની સમક્ષ પ્રગટ થયા. રાક્ષસે આંખો ખોલીને ભગવાન પાસે અમરત્વ માગ્યું. બ્રહ્માએ એમ કહીને તેની ઈચ્છાનો અસ્વીકાર કર્યો કે જીવ માત્રએ એક દિવસમરવું જ પડે છે. ત્યારબાદ મહિષાસુરે થોડી વાર વિચાર કર્યો અને વરદાન માંગ્યું કે માત્ર સ્ત્રી જ તેને મારી શકે છે. બ્રહ્માએ વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. મહિષાસુરે નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. તેણે સ્વર્ગ પર ચડાઈ કરી તેને બાનમાં લીધું હતું. તેને કોઈ પણ પ્રકારનો ભય ન હતો, કારણ કે તે માનતો હતો કે સ્ત્રીઓ શક્તિહીન અને નબળી હોય છે. દેવો ચિંતિત હતા અને તેઓ ત્રિમૂર્તિ પાસે ગયા. ત્રિમૂર્તિએ પોતાની શક્તિનો સમન્વય કર્યો અને પોતાની દૈવી શક્તિના યોગને એક ભૌતિક સ્વરૂપ આપ્યું, આદિ શક્તિ, જે અનેક શસ્ત્રોવાળી એક યોદ્ધા સ્ત્રી હતી. હિમાલયનું સ્વરૂપ ગણાતા હિમાવને તેણીને એક સિંહને ભેટ આપ્યો. દુર્ગા, તે સિંહ પર સવાર થઈને મહિષાસુર સમક્ષ પ્રગટ થઈ, જ્યાં રાક્ષસે વિવિધ સ્વરૂપો ધારણ કર્યા અને દેવી પર હુમલો કર્યો. દર વખતે દુર્ગા તેના રૂપોનો નાશ કરતી. છેવટે જ્યારે તે ભેંસ રાક્ષસ તરીકે રૂપાંતરિત થઈ રહ્યો હતો ત્યારે દુર્ગાએ મહિષાસુરને તેના ત્રિશૂળથી મારી નાખ્યો.[૨૨][૨૩]
વૈષ્ણવ પરંપરા અનુસાર, દુર્ગા એ યોગમાયાના વિભિન્ન ઉપનામો અને અવતારોમાંની એક છે, જે વિષ્ણુની માયા શક્તિનું સ્વરૂપ છે. વિષ્ણુ દુર્ગાને દેવકીના સાતમા બાળકને રોહિણીના ગર્ભમાં સ્થાનાંતરિત કરવાનું તેમજ યશોદા અને નંદની શિશુ પુત્રી તરીકે પૃથ્વી પર જન્મ લેવાનું કાર્ય સોંપે છે, જેથી તેણીની કૃષ્ણ સાથે અદલાબદલી કરી શકાય. જ્યારે કંસએ તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે લીંબુની માળા પહેરેલી, અઢાર હથિયારધારી દેવીના પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કર્યું. દેવીએ ઘોષણા કરી કે કંસનો હત્યારો જન્મ લઈ ચૂક્યો છે અને તરત જ અદૃશ્ય થઈ ગઈ.[૨૪] દુર્ગાની કલ્પના ઘણી વખત વિષ્ણુની બહેન તરીકેની આ ભૂમિકામાં કરવામાં આવે છે.[૨૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Tracy Pintchman (૨૦૧૪). Seeking Mahadevi: Constructing the Identities of the Hindu Great Goddess. State University of New York Press. પૃષ્ઠ ૮૬. ISBN 978-0-7914-9049-5.
- ↑ Encyclopedia Britannica 2015.
- ↑ ૩.૦ ૩.૧ David R Kinsley 1989, pp. 3–4.
- ↑ Charles Phillips, Michael Kerrigan & David Gould 2011, pp. 93–94.
- ↑ ૫.૦ ૫.૧ Paul Reid-Bowen 2012, pp. 212–213.
- ↑ Laura Amazzone 2012, pp. 3–5.
- ↑ Wendy Doniger 1999, p. 306.
- ↑ David R Kinsley 1989, pp. 3–5.
- ↑ Laura Amazzone 2011, pp. 71–73.
- ↑ Donald J LaRocca 1996, pp. 5–6.
- ↑ Lynn Foulston & Stuart Abbott 2009, pp. 9–17.
- ↑ June McDaniel 2004, pp. 215–216.
- ↑ David Kinsley 1998, pp. 101–102.
- ↑ Laura Amazzone 2012, p. xi.
- ↑ Flood 1996, pp. 17, 153.
- ↑ "Panch Dev Puja Worship". ABP (હિન્દીમાં). 17 November 2021. મૂળ સંગ્રહિત માંથી 1 October 2022 પર સંગ્રહિત. મેળવેલ 17 July 2022.
- ↑ "ŚB 10.4.9". Bhaktivedanta Vedabase.
- ↑ "Yoga-Māyā's Prophecy and Kaṃsa's Order to Slaughter all Children [Chapter 4]". 2 September 2022.
- ↑ "Yoganidra, Yoganidrā, Yoga-nidra: 14 definitions". 11 March 2017.
- ↑ James G Lochtefeld 2002, p. 208.
- ↑ Constance Jones & James D Ryan 2006, pp. 139–140, 308–309.
- ↑ Roa, Subba (April 1971). Tales of Durga. Amar Chitra Katha Private Limited. પૃષ્ઠ 25. ISBN 81-89999-35-4.
- ↑ Kumar, Anu (30 November 2012). Mahishasura: The Buffalo Demon (અંગ્રેજીમાં). Hachette India. ISBN 978-93-5009-538-6. મૂળ સંગ્રહિત માંથી 16 August 2021 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2020.
- ↑ Flueckiger, Joyce Burkhalter (23 July 2013). When the World Becomes Female: Guises of a South Indian Goddess (અંગ્રેજીમાં). Indiana University Press. પૃષ્ઠ 133. ISBN 978-0-253-00960-9. મૂળ સંગ્રહિત માંથી 13 September 2022 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2022.
- ↑ Verma, Archana (18 January 2011). Performance and Culture: Narrative, Image and Enactment in India (અંગ્રેજીમાં). Cambridge Scholars Publishing. પૃષ્ઠ 48. ISBN 978-1-4438-2832-1. મૂળ સંગ્રહિત માંથી 1 October 2022 પર સંગ્રહિત. મેળવેલ 1 October 2022.