લખાણ પર જાઓ

મંદોદરી

વિકિપીડિયામાંથી
મંદોદરી
પાંચ મહાસતીના સભ્ય
મંદોદરી, રાજા રવિ વર્માનું ચિત્ર.
જોડાણોરાક્ષસી
પાંચ મહાસતી
રહેઠાણલંકા
ગ્રંથોરામાયણ અને તેના સંસ્કરણોમાં
વ્યક્તિગત માહિતી
જીવનસાથીરાવણ
બાળકોઇન્દ્રજીત, અતિકાયા અને અક્ષયકુમાર (પુત્રો)
માતા-પિતા
  • મયાસુર (પિતા)
  • હેમા (અપ્સરા) (માતા)
સહોદરમાયાવી અને દુદુંભી (ભાઇઓ)

મંદોદરી (સંસ્કૃત: मंदोदरी) મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ રાવણની પત્નિ હતી.[] તેનાં અપ્રતિમ રુપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેને પોતાની પટરાણી બનાવી હતી. પાંચ મહાસતીમાં મંદોદરીની ગણના કરવામાં આવે છે.[]

ઉત્તરકાંડમાં વર્ણવ્યા મુજબ મયાસુર એક વખત સ્વર્ગની મુલાકાત લે છે જ્યાં તેને દેવો દ્વારા હેમા નામની અપ્સરા આપવામાં આવે છે. તેનાથી તેને બે પુત્રો, માયાવી અને દુદુંભી અને એક પુત્રી, મંદોદરી પ્રાપ્ત થાય છે. પછીથી, હેમા સ્વર્ગમાં પાછી ફરે છે અને મંદોદરી તેના પિતા અને ભાઇઓ સાથે પૃથ્વી પર રહે છે.[][][]

રાવણ સાથે લગ્ન

[ફેરફાર કરો]

રાવણના મંદોદરીના ઘરની મુલાકાત દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંનેના લગ્ન વેદિક વિધી અનુસાર થયા હતા. તેમને ત્રણ પુત્રો હતા: મેઘનાદ/ઇન્દ્રજીત, અતિકાયા અને અક્ષયકુમાર.[] જોધપુરથી ૯ કિમી દૂર આવેલા મંડોર નગરમાં મંદોદરીનું જન્મ સ્થળ હોવાનું માનય છે. કેટલાક સ્થાનિક બ્રાહ્મણો રાવણને જમાઇ તરીકે માને છે અને અહીં રાવણનું મંદિર આવેલું છે.[]

પતિના અવગુણો છતાં મંદોદરી રાવણને પ્રેમ કરતી હતી અને તેને સાચા માર્ગે ચાલવાની સલાહ આપતી હતી. તે રાવણની સ્ત્રીઓ પ્રત્યેના આકર્ષણની કમજોરી જાણતી હતી.[][] મંદોદરીએ રાવણને સીતા રામને પરત સોંપી દેવા માટે સતત વિનવણીઓ કરી હતી પરંતુ રાવણે આ વાત ધ્યાન પર લીધી ન હતી.[]

રાવણ પ્રત્યે મંદોદરીની વફાદારી અને પ્રેમ રામાયણમાં વર્ણવાયેલ છે.

સીતાની રક્ષા

[ફેરફાર કરો]
રાવણને સીતાનો વધ કરતા રોકતી મંદોદરી.

રામાયણમાં મંદોદરી સુંદર સ્ત્રી તરીક વર્ણવાઇ છે. જ્યારે હનુમાન સીતાની શોધ કરતા લંકા આવે છે ત્યારે મંદોદરીને સીતા સમજી બેસે છે.[] જ્યારે હનુમાન સીતાને શોધી કાઢે છે તે સમયે રાવણ સીતા પર તલવાર ચલાવવાની તૈયારી કરતો હોય છે, તે સમયે મંદોદરી રાવણનો હાથ પકડી રાખી તેન રોકે છે અને સીતાની રક્ષા કરે છે. રામ સીતાને છોડે છે પરંતુ હજુ પણ તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે.[૧૦] મંદોદરી સીતાને રૂપમાં પોતાનાથી ઉતરતી સમજે છે પરંતુ રામની ભક્તિની પ્રશંસા કરે છે અન તેને સચી અને રોહિણી સાથે સરખાવે છે.[]

યુદ્ધમાં

[ફેરફાર કરો]
મંદોદરી પાસેથી દૈવી શસ્ત્ર મેળવતા હનુમાન.

જ્યારે સીતાને શાંતિપૂર્વક રીતે પાછી લઇ જવાના બધાજ પ્રયત્નો નિષ્ફળ જાય છે ત્યારે રામ રાવણ વિરુદ્ધ યુદ્ધનું એલાન કરે છે. રામ સાથેના અંતિમ યુદ્ધ પહેલા મંદોદરી રાવણને સમજાવવાનો આખરી પ્રયત્ન કરે છે, જે નિષ્ફળ જાય છે.[૧૧] છેવટે, મંદોદરી તેના પતિનો સાથ એક આજ્ઞાકારી અને વિશ્વાસુ પત્નિની જેમ આપે છે,[] જોકે તે પોતાના પુત્ર મેઘનાદને રામ સાથે યુદ્ધ ન કરવાની સલાહ આપે છે.[૧૨]

રામાયણના અમુક સંસ્કરણોમાં હનુમાન મંદોદરી પાસેથી દૈવી બાણ મેળવતા દર્શાવાયા છે જે છેવટે રાવણના મૃત્યુનું કારણ બને છે. જોકે, વાલ્મિકી રામાયણમાં આ અંગેનો કોઇ ઉલ્લેખ નથી.

વિભીષણ સાથે લગ્ન

[ફેરફાર કરો]

રાવણના મૃત્યુ પછી મંદોદરીનું શું થયું એ વિશે વાલ્મિકી રામાયણમાં ખાસ ઉલ્લેખ મળતો નથી,[સંદર્ભ આપો] પરંતુ વિવિધ સંસ્કરણોમાં તે વિશેનું વર્ણન છે. રામ વિભીષણને મંદોદરી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે.[૧૩] તેમ કરવાથી અયોધ્યા અને લંકા વચ્ચે શાંતિ રહેવા ઉપરાંત મંદોદરીને સતી થવાથી બચાવી શકાય તેવો હેતુ હશે એવું મનાય છે.[૧૩] વધુમાં, જો વિભીષણને લંકાની ગાદી મેળવવી હોય તો તેમ કરવું પડે તેવી અનાર્ય પ્રથા પણ હતી. મંદોદરીએ પણ આ વાત સ્વીકારી હોવાનું મનાય છે.[૧૪]

  1. 1 2 Mani p. 476
  2. Devika, V.R. (October 29, 2006). "Women of substance: Ahalya". The Week (Indian magazine). 24 (48): 52. {{cite journal}}: Check date values in: |date= (મદદ)
  3. Manmathnath Dutt (1891). Ramayana - Uttara Kanda.
  4. Bhattacharya, Pradip (March–April 2004). "Five Holy Virgins, Five Sacred Myths: A Quest for Meaning (Part I)" (PDF). Manushi (141): 9–10. મૂળમાંથી અહીં સંગ્રહિત 28 September 2020. મેળવેલ 19 September 2020. {{cite journal}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
  5. Vālmīki; Goldman, Sally J. Sutherland; Lefeber, Rosalind; Pollock, Sheldon I. (1984). The Rāmāyaṇa of Vālmīki: An Epic of Ancient India (અંગ્રેજીમાં). Princeton University Press. ISBN 978-0-691-06663-9.
  6. Times Of India (14 October 2015). "Saluting the virtues of Ravan". Shailvee Sharda. Lucknow. Times Of India. મેળવેલ 14 October 2015. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  7. 1 2 3 Mukherjee 1999, p. 39.
  8. 1 2 Ayyer 2006, pp. 50-51.
  9. Mani p. 476
  10. Wheeler 1869, p. 338.
  11. Wheeler 1869, p. 365.
  12. Wheeler 1869, p. 370.
  13. 1 2 Shashi 1998, p. 222.
  14. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 613: attempt to compare two nil values.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. ISBN 0-8426-0822-2.
  • Ayyer, Dhanalakshmi (2006). "Women of substance: Mandodari : Pure as water". The Week. 24 (48): 50–1.
  • Mukherjee, Prabhati (1999). Hindu Women: Normative Models. Calcutta: Orient Blackswan. ISBN 81-250-1699-6.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • Mandodari સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર