હીંગોળગઢ (તા. વીંછીયા)

વિકિપીડિયામાંથી
હીંગોળગઢ
हींगोळगढ/Hingolgadh
—  ગામ  —
તળેટીમાંથી દેખાતું હીંગોળગઢ ના કિલ્લાનું એક દૃશ્ય
તળેટીમાંથી દેખાતું હીંગોળગઢ ના કિલ્લાનું એક દૃશ્ય
હીંગોળગઢનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°09′31″N 71°19′52″E / 22.1586°N 71.3311°E / 22.1586; 71.3311
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

હીંગોળગઢ (તા. વીંછીયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા વીંછીયા તાલુકામાં આવેલું એક ગામ છે. હીંગોળગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

હીંગોળગઢનો કીલ્લો[ફેરફાર કરો]

છેલ્લા થોડા સમયથી હીંગોળગઢના કીલ્લાને હેરીટેજ હોટેલમાં બદલી નાખવામાં આવ્યો છે [૧].

હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય[ફેરફાર કરો]

ગામની નજીકજ ગીર ફાઊન્ડેશન સંચાલીત હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આસપાસના સુકા વિસ્તારની થી તદ્દન જુદો પડતો હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ અલગ તરી આવે છે. સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની ચાદર વડે ઢંકાઇ જાય છે. ૬૫૪ વર્ગ કિલોમીટર વિસ્તારના આ જંગલને ૧૯૮૦માં આરક્ષિત વન-વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ. અને ૧૯૮૪માં કુદરતે આ વિસ્તારને આપેલ વિપુલ કુદરતી તકોને ઓળખીને અહીયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું[૨]

અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો છે. અભયારણ્યમાંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.

બિલેશ્વર મહાદેવનું મંદિર[ફેરફાર કરો]

હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની હદને અડીને એક નાનો ચેકડેમ અને બિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "હીંગોળગઢના કીલ્લો - હેરીટેજ હોટેલ". મૂળ માંથી 2014-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૬-૦૯-૨૦૧૩. Check date values in: |access-date= (મદદ)
  2. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ. "ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમનાં જાળ-સ્થળ પર હીંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય વિષેની માહિતિ". ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ. મૂળ માંથી 2011-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૩..