ધૃષ્ટદ્યુમ્ન

વિકિપીડિયામાંથી
ધૃષ્ટદ્યુમ્ન
મહાભારતનું પાત્ર
ચિત્ર:Drishtadyumna as Commander in chief of Pandava's Army.jpg
પાંડવોના સેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્ન.
માહિતી
કુટુંબદ્રુપદ (પિતા), શિખંડી (બહેન, પછી ભાઇ), દ્રૌપદી (બહેન)

ધૃષ્ટદ્યુમ્ન (સંકૃતઃ धृष्टद्युम्न) મહાભારતમાં દ્રૌપદીનો ભાઈ તથા પાંચાલ નરેશ દ્રુપદનો પુત્ર હતો. મહાભારતની કથા અનુસાર તેનો જન્મ દ્રોણ ને મારવા માટે થયો હતો.

જન્મ[ફેરફાર કરો]

જાવાનીઝ મહાભારતમાં ધૃષ્ટદ્યુમ્ન

દ્રુપદ બાળપણમા દ્રોણના સહપાઠી અને મિત્ર હતા. અભ્યાસકાળ દરમિયાન મિત્રતા વધતા દ્રુપદે દ્રોણને રાજા બન્યા પછી અડધુ રાજ્ય દેવાનું વચન આપ્યું. કાળક્રમ દ્રુપદ રાજા બન્યા અને દ્રોણની દરિદ્રતા વધવા પામી. એક વાર દ્રોણના પુત્ર અશ્વત્થામાએ દૂધ પીવા માટે જીદ કરી. અત્યંત દરિદ્રતાને લીધે ઘરમા દૂધ નહોતું. આથી દ્રોણના પત્ની કૃપિએ પૌઆમાં પાણી નાખી અશ્વત્થામાને મનાવ્યા. આ જોઇ તેઓ વ્યથિત થયા અને કૃપિએ તેમને મિત્ર દ્રુપદ પાસેથી એક ગાય માંગવા વિનવ્યા. પરંતુ દ્રોણ જ્યારે દ્રુપદ પાસે ગયા ત્યારે દ્રુપદે પોતાનુ વચન પાળ્યુ નહીં અને તેમનું અપમાન કર્યું. આમ દ્રોણ તેમના શત્રુ બન્યા.

દ્રોણે હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપી અને ગુરુદક્ષિણામાં દ્રુપદને બંદી બનાવવાની આજ્ઞા આપી. આથી પાડવો દ્રુપદને બંદી બનાવી લાવ્યા અને દ્રોણે તેને જીવન દાન આપી તેની ગૌશાળામાં રહેલી અડધી ગાયો ઉપરાંત એક વધારાની ગાય લીધી.

દ્રુપદ પણ પ્રતિશોધની અગ્નિથી પિડાવા લાગ્યા અને તેમણે દ્રોણને મારી શકે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો. યજ્ઞ માથી તેમને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ ધૃષ્ટદ્યુમ્ન રાખવામાં આવ્યું અને જે પુત્રિ પ્રાપ્ત થઇ તેનુ નામ દ્રૌપદી પાડવામા આવ્યું. ધૃષ્ટદ્યુમ્નએ મહાભારતના યુદ્ધમાં દ્રોણનો છળથી વધ કર્યો હતો.

ભલે તેના જન્મનો ઉદ્દેશ દ્રોણનો વધ કહેવાતો હતો એમ છતાં દ્રોણે યુવા રાજકુમારો સાથે યુદ્ધકળાની ઉચ્ચ તાલિમમાં જોડાવવા અનુમતિ આપી હતી. જ્યારે તેની બહેન દ્રૌપદી પાંચ બ્રાહમણોમાંના એકને વરી જેને સ્વયંવર જીત્યો હતો ત્યારે તેને ગુપ્ત રીતે તે બ્રાહ્મણોનો પીછો કર્યો અને જાણી કાઢ્યું કે તેઓ ખરેખર તો પાંચ પાંડવો હતાં.

યુદ્ધમાં[ફેરફાર કરો]

કૃષ્ણ અને અર્જુનની સલાહ માની ને ધૃષ્ટદ્યુમ્નને પાંડવ સેનાનો સેનાપતિ બનાવવામાં આવ્યો.

દ્રોણ વધ[ફેરફાર કરો]

જ્યારે દ્રોણ કુરુ સેનાપતિ તરીકે પાંડવ સેનામાં મોટી સંખ્યામાં સંહાર મચાવવા માંડ્યા ત્યારે કૃષ્ણે યુધિષ્ઠિરને યોજના બનાવી દ્રોણનો અંત આણવાની સલાહ આપી. એ તો સર્વ જાણતા હતાં કે જ્યાં સુધી દ્રોણના હાથમાં શસ્ત્ર ઉગામેલા છે ત્યાં સુધી કોઈ યોદ્ધા દ્વારા તેમનો નાશ કરવો શક્ય નથી આથી કૃષ્ણએ એવી સલાહ આપી કે દ્રોણનો પુત્ર યુદ્ધમાં માર્યો ગયો એવી ઘોષણા કરાય. આવી ખબર સાંભળી કમસે કમ દ્રોણ ક્ષણ માટે તો પોતાના હથિયાર હેઠા મુકશે જ. કૃષ્ણ અસાશ્વતતાની જીત માટે યુધિષ્ઠિર સમક્ષ આ જુઠાણાને ઉચિત ગણાવે છે. યુધિષ્ઠિર આ વાત કેમ કરીને ન માનતા ભીમ કૌરવ સેનાના જાણીતા અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે અને આનંદથી કીકીયારી પાડે છે અશ્વત્થામા માર્યો ગયો! અશ્વત્થામા માર્યો ગયો! આ ન માની શકવાથી અને ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય ન બોલે એ વિશ્વાસે તેમણે યુધિષ્ઠિરને પુછ્યું. યુધિષ્ઠિર તેમને કહે છે કે અશ્વત્થામા માર્યો ગયો છે અને સંપૂર્ણ જૂઠું ન બોલવા ન સંભળાય તેમ ગણગણે છે કોણ જાણે નર કે હાથી (અશ્વત્થામા હતાહ્ નરો વા કુંજરો વા) એક અન્ય આવૃતિ કહે છે કે યુધિષ્ઠિરે તે શબ્દો જોરથી જ કહ્યાં હતાં પણ તે શબ્દો બોલાયા ત્યારેજ કૃષ્ણે પોતાનો શંખ વગાડ્યો જેથી દ્રોણને તે સંભળાય નહીં આ વાતની ખાત્રી થતાંજ દ્રોણ પોતાના હથિયાર મુકી દઈ ધ્યાન ધરી લે છે. આમતો કથા અનુસાર દ્રોણનો આત્મા તો તેજ ક્ષણે ધ્યાન દ્વારા દેહ છોડી ગયો પણ ધૃષ્ટદ્યુમ્ન આ તક સાધી દ્રોણના રથ તરફ દોડ્યો અને તેમનું માથું ધડથી જુદું કરી દીધું.

મૃત્યુ[ફેરફાર કરો]

યુદ્ધ પછી અશ્વત્થામાએ દ્રોણની હત્યા અને કૌરવોના પરાજયનો બદલો લેવા ઘાતકી રીતે પાંડવોના શિવિર પર હુમલો કરી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીના પાંચ પુત્રોને હણી કાઢ્યાં.