નકુલ

વિકિપીડિયામાંથી
(નકુળ થી અહીં વાળેલું)
નકુલ
નકુલ
નકુલ
માહિતી
કુટુંબપાંડુ, અશ્વિનીકુમારો (પિતા)
માદ્રી (માતા)
જીવનસાથીદ્રૌપદી
જાવાનિઝ છાયા કઠપુતળીના ખેલમાં નકુળનું પાત્ર

નકુલ (સંસ્કૃતઃ नकुलः) કે નકુળ પાંડુ તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ અને સહદેવ અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાંત હતા. નકુલ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમનાં તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે યક્ષે યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનું જીવનદાન માંગવા કહ્યું, ત્યારે યુધિષ્ઠિરે નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]