દુઃશાસન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
દુશ્યાસન -> દુઃશાસન |
|||
લીટી ૧: | લીટી ૧: | ||
''' |
'''દુઃશાસન'''કે '''દુશાસન''' (સંસ્કૃત: दु:शासन) [[મહાભારત]]માં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુર નરેશ [[ધૃતરાષ્ટ્ર]] તથા [[ગાંધારી]]નો બીજો પુત્ર તથા [[દુર્યોધન]]નો નાનો ભાઈ હતો. |
||
== જન્મ અને ઉછેર == |
== જન્મ અને ઉછેર == |
||
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે [[વ્યાસ|વ્યાસમુની]]ને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ [[દુર્યોધન]] અને બીજા પાત્રમાંથી જન્મેલા બાળકનું નામ |
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે [[વ્યાસ|વ્યાસમુની]]ને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ [[દુર્યોધન]] અને બીજા પાત્રમાંથી જન્મેલા બાળકનું નામ દુઃશાસન પાડવામાં આવ્યું. દુઃશાસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો. |
||
== દ્રૌપદી ચિરહરણ == |
== દ્રૌપદી ચિરહરણ == |
||
કૌરવોનાં મામા [[શકુની]] સાથેના ધ્યુત (જુગાર)ની રમતમાં [[યુધિષ્ઠિર]] એક એક કરીને તેની સંપત્તિ, રાજ્ય, ભાઈઓ અને તેની પત્નીને હારી જાય છે, ત્યારે |
કૌરવોનાં મામા [[શકુની]] સાથેના ધ્યુત (જુગાર)ની રમતમાં [[યુધિષ્ઠિર]] એક એક કરીને તેની સંપત્તિ, રાજ્ય, ભાઈઓ અને તેની પત્નીને હારી જાય છે, ત્યારે દુઃશાસન તેના ભાઈ દુર્યોધન વતી [[દ્રૌપદી]]ને ભર સભામાં ઘસડી લાવે છે અને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ દ્રૌપદી [[કૃષ્ણ| શ્રીકૃષ્ણ]]ની પરમ ભક્ત અને સખી હોઇ તેમનું સ્મરણ કરે છે અને શ્રીકૃષ્ણ તેનાં ચિર (સાડી)ને અનંત લંબાઇનું બનાવી દે છે જેથી દુઃશાસન તેનું હરણ કરી ન શકે. |
||
પરંતુ તેણીને વાળ દ્વારા ઘસડીને સભામાં લાવવામાં આવી હતી જે તેનું અપમાન હતું, આ અપમાનનું વેર વાળવા તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત |
પરંતુ તેણીને વાળ દ્વારા ઘસડીને સભામાં લાવવામાં આવી હતી જે તેનું અપમાન હતું, આ અપમાનનું વેર વાળવા તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત દુઃશાસનના રક્તથી વાળ નહિ ધુએ ત્યાં સુધી તે પોતાના વાળ બાંધશે નહિ. ભીમ પણ દુઃશાસનની છાતી ચીરી તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરે છે. |
||
== મૃત્યુ == |
== મૃત્યુ == |
||
કુરુક્ષેત્રના યુદ્ધમાં [[ભીમ]] |
કુરુક્ષેત્રના યુદ્ધમાં [[ભીમ]] દુઃશાસનનો વધ કરે છે, તેનો બાહુ શરીરથી જુદો કરી તેનું રક્ત પી પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પણ પુરી કરાવડાવે છે. દુઃશાસનનો વધ, [[કર્ણ]] અને દુર્યોધનને ખુબજ વિચલિત કરી દે છે. ભીમનું ક્રોધાયમાન વિકરાળ રૂપ જોઈ [[કૌરવ]] સેનાનું જોમ નાશ પામે છે. |
||
== નામ == |
== નામ == |
||
મોટે ભાગે આ નામને સંસ્કૃતના બે શબ્દોમાંથી લેવામાં આવ્યું હોય એમ લાગે છે, ' |
મોટે ભાગે આ નામને સંસ્કૃતના બે શબ્દોમાંથી લેવામાં આવ્યું હોય એમ લાગે છે, 'દુઃ' અર્થાત સખત મજબૂત અને 'શાસન'નો અર્થ છે સંયમ. |
||
== કડીઓ == |
|||
*''The Mahabharata'' (1999) by [[Krishna Dharma]] |
|||
[[Category:પૌરાણિક પાત્રો]] |
[[Category:પૌરાણિક પાત્રો]] |
૧૬:૫૫, ૬ નવેમ્બર ૨૦૧૫ સુધીનાં પુનરાવર્તન
દુઃશાસનકે દુશાસન (સંસ્કૃત: दु:शासन) મહાભારતમાં વર્ણવ્યા અનુસાર હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીનો બીજો પુત્ર તથા દુર્યોધનનો નાનો ભાઈ હતો.
જન્મ અને ઉછેર
જ્યારે રાણી ગાંધારીને કોઈક કારણસર ગર્ભપાત થઈ ગયો ત્યારે તે વ્યાસમુનીને પ્રાર્થના કરે છે અને વેદ વ્યાસ તે ગર્ભને એકસરખા ૧૦૦ ભાગમાં વિભાજિત કરી અને તેને ઔષધો વાળા ઘી ભરેલા પાત્રોમાં ભરી, પાત્રોનાં મોઢા પર કપડું બાંધી તેમને નવ માસ સુધી સુધી એક ઓરડામાં મુકી દે છે અને તે ઓરડામાં સહુને પ્રવેશ નિષેધ કરી દેવામાં આવે છે. આ સમયનાં અંતે પહેલું પાત્ર ખોલવામાં આવે છે જેમાંથી જન્મનાર બાલકનું નામ દુર્યોધન અને બીજા પાત્રમાંથી જન્મેલા બાળકનું નામ દુઃશાસન પાડવામાં આવ્યું. દુઃશાસન તેના મોટા ભાઈ દુર્યોધનની ખુબ નજીક હતો અને પાંડવો વિરુદ્ધના મોટા ભાગના ષડયંત્રમાં તેના મોટા ભાઈનો સાથી હતો.
દ્રૌપદી ચિરહરણ
કૌરવોનાં મામા શકુની સાથેના ધ્યુત (જુગાર)ની રમતમાં યુધિષ્ઠિર એક એક કરીને તેની સંપત્તિ, રાજ્ય, ભાઈઓ અને તેની પત્નીને હારી જાય છે, ત્યારે દુઃશાસન તેના ભાઈ દુર્યોધન વતી દ્રૌપદીને ભર સભામાં ઘસડી લાવે છે અને તેનું વસ્ત્ર હરણ કરવા પ્રયત્ન કરે છે. પરંતુ દ્રૌપદી શ્રીકૃષ્ણની પરમ ભક્ત અને સખી હોઇ તેમનું સ્મરણ કરે છે અને શ્રીકૃષ્ણ તેનાં ચિર (સાડી)ને અનંત લંબાઇનું બનાવી દે છે જેથી દુઃશાસન તેનું હરણ કરી ન શકે.
પરંતુ તેણીને વાળ દ્વારા ઘસડીને સભામાં લાવવામાં આવી હતી જે તેનું અપમાન હતું, આ અપમાનનું વેર વાળવા તેણે પ્રતિજ્ઞા લીધી કે તે જ્યાં સુધી મૃત દુઃશાસનના રક્તથી વાળ નહિ ધુએ ત્યાં સુધી તે પોતાના વાળ બાંધશે નહિ. ભીમ પણ દુઃશાસનની છાતી ચીરી તેનું લોહી પીવાની પ્રતિજ્ઞા કરે છે.
મૃત્યુ
કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીમ દુઃશાસનનો વધ કરે છે, તેનો બાહુ શરીરથી જુદો કરી તેનું રક્ત પી પોતાની પ્રતિજ્ઞા પુરી કરે છે અને દ્રૌપદીની પ્રતિજ્ઞા પણ પુરી કરાવડાવે છે. દુઃશાસનનો વધ, કર્ણ અને દુર્યોધનને ખુબજ વિચલિત કરી દે છે. ભીમનું ક્રોધાયમાન વિકરાળ રૂપ જોઈ કૌરવ સેનાનું જોમ નાશ પામે છે.
નામ
મોટે ભાગે આ નામને સંસ્કૃતના બે શબ્દોમાંથી લેવામાં આવ્યું હોય એમ લાગે છે, 'દુઃ' અર્થાત સખત મજબૂત અને 'શાસન'નો અર્થ છે સંયમ.