લખાણ પર જાઓ

રાતબા વાવ

વિકિપીડિયામાંથી

રાતબા વાવ, અથવા રાજબાઈ વાવ કે રાજબા વાવ, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના રામપરા ગામે આવેલી એક વાવ અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ વાવમાં આવેલ શિલાલેખ સૂચવે છે કે બાંધકામ સમયે મહમદ બેગડો અમદાવાદમાં રાજ કરતો હતો અને મૂળીમાં વિજયરાજ પરમારનું રાજ હતું. આ વાવના પ્રથમ કૂટમાં બે બાજુ દેવનાગરી લિપિમાં મુકેલ શિલાલેખ મુજબ વિક્રમ સંવત 1538 (ઇ. સ. 1482)માં માગશર સુદમાં ઝંઝનગર (ઝીંઝુવાડા)ના રહેવાસી શ્રીમાળ જ્ઞાતિના શેઠ વીણાની પત્ની રાજબાઇ અને વલ્હાર દ્વારા સુર્યપુરના લોકોના લાભાર્થે બાંધવામાં આવેલી.[][][][]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ વાવનું બાંધકામ માધા વાવને મળતું આવે છે. રાતબા વાવમાં કુલ છ કૂટો અને એક મુખમંડપ (જે અત્યારે ભગ્ન છે) આવેલાં છે. પગથિયાંની પરસાળની પહોળાઈ કૂટોથી કૂવાનું અંતર જેમ ઘટે છે તેમ ઘટતી જાય છે. દરેક કૂટની ઉપર પિરામીડ આકારની શિખર છે અને તેના પર શક્કરપારાની ભાત કંડારેલી છે. વાવની બંને બાજુ વર્તુળાકાર પગથિયાં છે. વાવમાં છ મજલા છે અને અંતે કૂવો છે. આ વાવની લંબાઇ ૪૮.૯૦ અને પહોળાઇ ૫.૪૦ મીટર છે. કૂવાનો વ્યાસ ૬.૬૦ મીટર અને ઉંડાઈ ૫૩.૧૦ મીટર છે. વાવમાં ઉતરતા જમણી બાજુ શેષશાયી વિષ્ણુનું શિલ્પ છે જેની ઉપર નવગ્રહપટ્ટ કોતરેલો છે. અન્ય ગવાક્ષમાં રાંદલમાતા છે. ગવાક્ષનું શીર્ષશિખર અમદાવાદની દાઈ હરિર વાવને મળતું આવે છે.[][][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 3 Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. pp. ૫૬. ISBN 978-0-391-02284-3. {{cite book}}: Check date values in: |date= (મદદ)
  2. 1 2 Jamod, Gagjibhai V. (March 2018). "સુરેન્દ્રનગર જિલ્લાની ઐતિહાસિક વાવ" (PDF). Research Guru. 11 (4). ISSN 2349-266X.
  3. Sandesh. "Surendranagar: વઢવાણના રામપરાની રાજબાઇ વાવ સંસ્કૃતિ, સ્થાપત્ય અને શ્રાદ્ધાનો અનોખો સમન્વય". Sandesh (અંગ્રેજીમાં). મેળવેલ 2025-10-15. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  4. 1 2 "State Archeological Department Board in Video:માત્રી માં વાવ(રાજબાઇ વાવ)//વાવ નો ઇતિહાસ//Jay Matri Maa//Matri Maa Vav".