રાણકી વાવ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
![]() રાણકી વાવ | |
સ્થાન | પાટણ, ગુજરાત, |
માપદંડ | સાંસ્કૃતિક: (i), (iv) |
સંદર્ભ | 922 |
વિશ્વ ધરોહરમાં સમાવેશ | 2014 (38th સત્ર) |
વિસ્તાર | 4.68 ha (11.6 acres) |
સંરક્ષિત વિસ્તાર | 125.44 ha (310.0 acres) |
અક્ષાંશ-રેખાંશ | 23°51′32″N 72°6′6″E / 23.85889°N 72.10167°E |
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા' ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ ૧૧મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.[૧][૨][૩]
સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૮૬માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.[૪][૫]
સ્થાપત્ય
[ફેરફાર કરો]રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ નંદા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.
નિરૂપણ
[ફેરફાર કરો]ભારતીય રિઝર્વ બેંકે વર્ષ ૨૦૧૮માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.[૬]
છબીઓ
[ફેરફાર કરો]-
વાવનો ટોચ પરથી દેખાવ
-
વાવનો આંતરિક ભાગ
-
રાણકી વાવ
-
મહિષાસુર મર્દિનીનું શિલ્પ
-
કલ્કિ અવતાર અને મહિષાસુર મર્દિનીનું શિલ્પ
-
વરાહ અવતારનું શિલ્પ
-
વરાહ અવતારનું શિલ્પ વધુ નજીકથી
-
રાણકી વાવમાં આવેલું એક શિલ્પ
-
વિવરણ અંગ્રેજી
-
વિવરણ હિન્દી
-
વામન અવતાર
-
ચાર ભુજા વાળા પરશુરામ (મધ્યમાં)
-
કલ્કિ અવતાર (મધ્યમાં)
-
ભૈરવ અને અપ્સરાઓ
-
ગણપતિ, તેમની પત્નિઓ અને અપ્સરાઓ
-
મહિષાસુરનો વધ કરતાં દુર્ગા
-
શિલ્પ સાથેની દિવાલ
-
શિલ્પ સાથેની દિવાલ
-
કોતરણી વાળા સ્થંભો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "રાણકી વાવ". www.siddhpur.com. Retrieved ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(help) - ↑ "Rani-ki-Vav (the Queen's Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre". whc.unesco.org (in અંગ્રેજી). Retrieved 2015-12-05.
- ↑ Shastri, Hariprasadji (1976). Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iii Itihasni Gujaratlo Rajkiya Ane Sanskritik Itihas Granth Part-iv Solanki. pp. 136–237.
- ↑ Mehta Bhatt, Purnima (2014). "7. Queen's Stepwell (Rani ni Vav) - Patan, Gujarat". Her Space, Her Story : Exploring the Stepwells of Gujarat. del Solar, Daniel. New Delhi: Zubaan. pp. 72–90. ISBN 9789383074495. OCLC 898408173.
- ↑ Tomar, Shruti; Faruqui, Mujeeb (2018-07-26). "Archeologist who restored Rani Ka Vav recalls his role". Bhopal: Hindustan Times. Retrieved 2019-06-20.
- ↑ "RBI to Issue New Design ₹ 100 Denomination Banknote". rbi.org.in (in અંગ્રેજી). Retrieved 2018-07-19.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
- રાણકી વાવ - છબીઓ અને માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન
- વાવનું 3D રેખાંકન
પૂરક વાચન
[ફેરફાર કરો]- Jutta Jain Neubauer: The Stepwells of Gujarat. An Art-historical Perspective. Abhinav Publications, 1981, ISBN 0-391-02284-9.
- Morna Livingston, Milo C. Beach: Steps to Water. The Ancient Stepwells of India. Princeton Architectural Press, 2002, ISBN 1-56898-324-7.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |