ચકલીની ખાંભી
દેખાવ
ચકલીની ખાંભી એ ગુજરાતના અમદાવાદ શહેરના જુના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં આવેલું સ્મારક છે.[૧][૨]
૨ માર્ચ ૧૯૭૪ને દિવસે અમદાવાદ શહેરમાં રોટી રમખાણ (નવનિર્માણ આંદોલન) તરીકે ઓળખાયેલા રમખાણ ફાટી નીકળ્યા હતા. એ રમખાણો દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે ગોળીથી ઘાયલ થવાને કારણે એક ચકલીનું મૃત્યું થયું હતું. એ પછી એ પોળના રહીશોએ સમગ્ર આસ્ટોડીયા વિસ્તારમાં એ ચકલીની સ્મશાનયાત્રા કાઢી હતી અને જે જગ્યાએ ચકલીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું એ જગ્યાએ ચકલીની સ્મૃતિમાં એક ખાંભીનું નિર્માણ કર્યું હતું. એ સમયથી એ સ્થળ "ચકલીની ખાંભી" તરીકે ઓળખાય છે. એ ખાંભી પરની તકતીમાં ચકલીનું રેખાચિત્ર અને આ બનાવની માહિતી સામેલ છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "ચકલી દિવસઃ જ્યારે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ એક ચકલી..." www.gujaratimidday.com. 2019-03-20. મેળવેલ 2019-03-22.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 જેઠવા, નિલેશ (૨૦ માર્ચ ૨૦૧૯). "નવનિર્માણ આંદોલનમાં ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી આજે પણ અમદાવાદની પોળમાં છે". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૨૦ માર્ચ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૯.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ); Unknown parameter|dead-link=ignored (મદદ)
| આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |