લખાણ પર જાઓ

ચકલીની ખાંભી

વિકિપીડિયામાંથી

ચકલીની ખાંભીગુજરાતના અમદાવાદ શહેરના જુના કોટ વિસ્તારમાં આવેલી ઢાળની પોળમાં આવેલું સ્મારક છે.[][]

૨ માર્ચ ૧૯૭૪ને દિવસે અમદાવાદ શહેરમાં રોટી રમખાણ (નવનિર્માણ આંદોલન) તરીકે ઓળખાયેલા રમખાણ ફાટી નીકળ્યા હતા. એ રમખાણો દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે ગોળીથી ઘાયલ થવાને કારણે એક ચકલીનું મૃત્યું થયું હતું. એ પછી એ પોળના રહીશોએ સમગ્ર આસ્ટોડીયા વિસ્તારમાં એ ચકલીની સ્મશાનયાત્રા કાઢી હતી અને જે જગ્યાએ ચકલીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું એ જગ્યાએ ચકલીની સ્મૃતિમાં એક ખાંભીનું નિર્માણ કર્યું હતું. એ સમયથી એ સ્થળ "ચકલીની ખાંભી" તરીકે ઓળખાય છે. એ ખાંભી પરની તકતીમાં ચકલીનું રેખાચિત્ર અને આ બનાવની માહિતી સામેલ છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 "ચકલી દિવસઃ જ્યારે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ એક ચકલી..." www.gujaratimidday.com. 2019-03-20. મેળવેલ 2019-03-22. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. 1 2 જેઠવા, નિલેશ (૨૦ માર્ચ ૨૦૧૯). "નવનિર્માણ આંદોલનમાં ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી આજે પણ અમદાવાદની પોળમાં છે". દિવ્ય ભાસ્કર. મૂળ માંથી ૨૦ માર્ચ ૨૦૧૯ પર સંગ્રહિત. મેળવેલ ૨૧ માર્ચ ૨૦૧૯. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ); Unknown parameter |dead-link= ignored (મદદ)