હઠીસિંહનાં દેરાં
હઠીસિંહનાં દેરા | |
---|---|
![]() હઠીસિંહનાં દેરા | |
ધર્મ | |
જોડાણ | જૈન |
દેવી-દેવતા | ભગવાન ધર્મનાથ |
તહેવારો | મહાવીર જયંતી |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત |
અક્ષાંસ-રેખાંશ | 23°02′28″N 72°35′23″E / 23.041088°N 72.589611°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | પ્રેમચંદ સલાટ[૧] |
સ્થાપના તારીખ | ૧૮૪૮ |
બાંધકામ ખર્ચ | ૮ લાખ[૨][૩] |
મંદિરો | ૧ |
હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[૪]
ઇતિહાસ[ફેરફાર કરો]
ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇસવીસન ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવી હતી, પણ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું.[૫] ત્યારબાદ તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયા (તે સમયની જંગી રકમ) વડે પૂર્ણ કરવામાં આવ્યું.[૫] આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.
આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું જેથી બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહ્યો હતો.[૫] અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ વડે કરવામાં આવે છે.
સ્થાપત્ય[ફેરફાર કરો]
આ દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા.[૬]
મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે.[૫] મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.[૫]
મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તીસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે ૬ માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે.[૫] આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે.[૫]
સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવાં આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.
છબીઓ[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Hathisinh Jain Temple". Gujarat Tourism. 22 September 2009. Retrieved 3 January 2012. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ Pandya, Yatin (18 October 2011). "Hathisinh Jain temple: A creative realism". DNA (Daily News & Analysis). Retrieved 3 January 2011. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. p. 282. Check date values in:
|year=
(મદદ) - ↑ Tourism, Gujarat. "Hutheesing Jain Temple". Retrieved 8 June 2013. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ Varadarajan, J. (2015-07-16). "Hutheeseing Mandir, a charming amalgam". The Hindu (અંગ્રેજી માં). ISSN 0971-751X. Retrieved 2020-11-29. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Hutheesing Jain Temple | Things to do | Ahmedabad | Ahmedabad Metropolitan | Tourism Hubs | Home | Gujarat Tourism". web.archive.org. 2011-09-28. Retrieved 2020-11-29. Check date values in:
|accessdate=, |date=
(મદદ)