હઠીસિંહનાં દેરાં
| હઠીસિંહનાં દેરા | |
|---|---|
હઠીસિંહનાં દેરા | |
| ધર્મ | |
| જોડાણ | જૈન |
| દેવી-દેવતા | ભગવાન ધર્મનાથ |
| તહેવારો | મહાવીર જયંતી |
| સ્થાન | |
| સ્થાન | અમદાવાદ, અમદાવાદ જિલ્લો, ગુજરાત |
| અક્ષાંશ-રેખાંશ | 23°02′28″N 72°35′23″E / 23.041088°N 72.589611°E |
| સ્થાપત્ય | |
| નિર્માણકાર | પ્રેમચંદ સલાટ[૧] |
| સ્થાપના તારીખ | ૧૮૪૮ |
| બાંધકામ ખર્ચ | ૮ લાખ[૨][૩] |
| મંદિરો | ૧ |
હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું.[૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]ધનવાન જૈન નગરશેઠ હઠીસિંહ દ્વારા ઇસવીસન ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવી હતી, પણ તેમનું ૪૯ વર્ષે અવસાન થયું.[૫] ત્યારબાદ તેમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા તેનું બાંધકામ ૮ લાખ રૂપિયા (તે સમયની જંગી રકમ) વડે પૂર્ણ કરવામાં આવ્યું.[૫] આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.
આ દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હતું જેથી બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહ્યો હતો.[૫] અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ વડે કરવામાં આવે છે.
સ્થાપત્ય
[ફેરફાર કરો]
આ દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા.[૬]
મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનોની પ્રતિમા ધરાવે છે, જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં જ્યારે ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે.[૫] મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિર કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. વધારામાં, ત્યાં ૫૨ દેવલકુલિકાઓ આવેલી છે જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે.[૫]
મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તીસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે જે ૬ માળ ઊંચો છે અને મહાવીર સ્વામીની પ્રતિમા ધરાવે છે.[૫] આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે.[૫]
સ્થાપત્ય અને કોતરણી માટે પ્રખ્યાત એવાં આ દેરાસરો અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે.
છબીઓ
[ફેરફાર કરો]- દેરાસરનું મુખ્ય પ્રવેશદ્વાર
- કોતરણી
- કિર્તી સ્થંભ, હઠીસિંહના દેરાનું એક આકર્ષણ
- કિર્તી સ્થંભની કોતરણી
- મંદિરમાં પથ્થર પર કોતરણી
- પરસાળ
- મંદિરની દેખાતો કિર્તી સ્થંભ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Hathisinh Jain Temple". Gujarat Tourism. 22 September 2009. મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 3 January 2012.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ Pandya, Yatin (18 October 2011). "Hathisinh Jain temple: A creative realism". DNA (Daily News & Analysis). મેળવેલ 3 January 2011.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. p. 282.
- ↑ Tourism, Gujarat. "Hutheesing Jain Temple". મૂળ માંથી 28 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 June 2013.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 7 Varadarajan, J. (2015-07-16). "Hutheeseing Mandir, a charming amalgam". The Hindu (Indian Englishમાં). ISSN 0971-751X. મેળવેલ 2020-11-29.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Hutheesing Jain Temple | Things to do | Ahmedabad | Ahmedabad Metropolitan | Tourism Hubs | Home | Gujarat Tourism". web.archive.org. 2011-09-28. મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-09-28. મેળવેલ 2020-11-29.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)CS1 maint: bot: original URL status unknown (link)
| આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |