રોગન ચિત્રકળા

વિકિપીડિયામાંથી
અબ્દુલ ગફુર ખત્રી દ્વારા ટ્રી ઓફ લાઇફ મોટિફ સાથે રોગન ચિત્રકળા.
ભારતના કચ્છના નિરોણા ગામમાં રોગાન ચિત્રકળા

રોગન ચિત્રકળા, ભારતના ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રચલિત કાપડ પર ચિત્રકારીની એક કળા છે. આ હસ્તકલામાં, બાફેલા તેલ અને વનસ્પતિજન્ય રંગોમાંથી બનેલા રંગો, ધાતુના બીબાં (પ્રિન્ટિંગ માટેના) અને સ્ટાઇલસ્ (ચિત્રકળાનું એક ઓજાર) નો ઉપયોગ કરીને કાપડ પર ચિત્રકારી કરવામાં આવે છે. આ કળા નામ શેષ થવા પર છે, ૨૦ મી સદીના અંતમાં લગભગ એક જ ગામમાં બે કુટુંબો દ્વારા રોગન ચિત્રકારી કરવામાં આવી હતી.

ઇતિહાસ[ફેરફાર કરો]

રોગન શબ્દ ફારસીમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વાર્નિશ અથવા તેલ એવો થાય છે.[૧] પાકિસ્તાનના સિંધથી ભારત આવેલા ખાત્રી નામના એક મુસ્લિમ સમુદાય દ્વારા આ તેલ આધારિત રંગને કાપડ પર લગાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તેનું રોગન એવું નામ (અને કેટલીક પરંપરાગત રચનાઓ), ઇરાનમાં આ કળાનું મૂળ સૂચવે છે, તેમ છતાં આ વાત સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય ઐતિહાસિક સ્રોત મળતો નથી.[૨]

શરૂઆતમાં કચ્છ વિસ્તારમાં ઘણા સ્થળોએ રોગન ચિત્રકળા કરવામાં આવતી હતી. ચિત્રકારી કરેલ કાપડ મોટે ભાગે નીચલી જાતિની મહિલાઓ દ્વારા ખરીદવામાં આવતી હતી જેઓ તેમના લગ્ન માટે કપડાં અને પલંગની ચાદરો આ કળા દ્વારા સજાવતી હતી.[૩] તેથી, આ એક મોસમી કળા હતી, તેનો મોટા ભાગનો ઉપાડ લગ્નના મહિનાઓ દરમિયાન થતો હતો. બાકીના વર્ષ દરમિયાન, કારીગરો કૃષિ જેવા અન્ય પ્રકારનાં કામો તરફ વળાતા. [૪]

૨૦ મી સદીના અંતમાં સસ્તા, મશીન દ્વારા બનાવેલા કાપડની ઉપલબ્ધતા સાથે, રોગન ચિત્રકારી કરેલા કાપડ ઉત્પાદનો પ્રમાણમાં વધુ ખર્ચાળ બન્યા, અને ઘણા કલાકારો આ કળા છોડી અન્ય વ્યવસાય તરફ વળ્યા. આખરે, એક જ કુટુંબ, ગુજરાતના નિરોણાના ખત્રીઓએ આ કળા જીવંત રાખી. [૩]

કલાનું પુનરુત્થાન[ફેરફાર કરો]

૨૦મી સદીના અંતમાં અને ૨૧મી સદીની શરૂઆતમાં, રોગન કળા ખાસ કરીને પેઇન્ટિંગમાં નવી રસ ઉત્પન્ન કરનાર ઘણા પરિબળો ભેગા થયા. પ્રથમ, ૨૦૦૧ના ગુજરાત ભૂકંપ પછી, જ્યારે આ પ્રદેશનો મોટાભાગનો વિનાશ થયો, પાણી અને વીજળીના માળખામાં સુધારો થયો, નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા, અને આ ક્ષેત્રમાં ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થયો, આ બધાના કારણે પર્યટન વધ્યું.[૩] બીજું, સ્થાનિક સહકારી મંડળ અને નફાકારક જૂથોએ શહેરી સંપર્કો અને ઑનલાઇન વેચાણ કરીને તેમનું બજાર વધારવામાં રોગન કલાકારો સહિતના અન્ય સ્થાનિક કારીગરોને મદદ કરી.[૫] ત્રીજું, ખત્રી પરિવારના ઘણા સભ્યોએ તેમની કળા માટે રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા, આમ તેમનું કાર્ય અને પ્રતિષ્ઠા વધી.[૨] છેવટે, ૨૦૧૪ માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.એસ. વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી, અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જીવનના વૃક્ષ સહિતના બે રોગાન ચિત્રો આપ્યા હતા. તેઓને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રી દ્વારા દોરાયેલા ચિત્રો આપવામાં આવ્યા હતા.[૬]

નિરોણામાં, ખત્રી બંધુઓએ પ્રવાસીઓને આકર્ષિત કરે એવા વધુ સમકાલીન ઉત્પાદનો રજૂ કર્યા, જેમ કે બેગ, તકીયાના કવર, ટેબલ ક્લોથ, દિવાલના સુશોભન માટેના બૉલ ક્લોથ. જીવનનું વૃક્ષ એક મુખ્ય મોટીફ બની રહ્યું છે.[૭] ખત્રી વર્કશોપમાં પ્રવાસીઓની સંખ્યા ૨૦૧૦ ના દાયકામાં સતત વધી અને ૪૦૦ જેટલા લોકો દરરોજ, આવતા જે ગામમાં ટ્રાફિક જામનું કારણ બન્યું.[૮] વધતી માંગને ધ્યાનમાં રાખીને, ૨૦૧૦ માં ખાત્રીઓએ પ્રથમ વખત મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. (પહેલાં, એવી આશંકા હતી કે મહિલાઓ જ્યારે કુટુંબની બહાર લગ્ન કરે છે ત્યારે સ્ત્રીઓ આ કળાના રહસ્યો ફેલાવશે છે.) ૨૦૧૫માં, નિરોણામાં વીસ મહિલાઓ પરિવાર સાથે કામ કરતી હતી.[૫]

રોગન ચિત્રકળાની પ્રક્રિયા[ફેરફાર કરો]

રોગન રંગને લગભગ બે દિવસ માટે એરંડાના તેલને ઉકાળીને બનાવવામાં આવે છે અને પછી વનસ્પતિ રંગદ્રવ્યો અને બંધનકર્તા પદાર્થ ઉમેરીને બનાવવામાં આવે છે. આને પરિણામે રંગ જાડા અને ચળકતા બને છે. [૯] આ રંગોને કાપડ પર દોરવામાં અથવા છાપવામાં આવે છે તે સામાન્ય રીતે ઘેરા રંગ હોય છે, જે તીવ્ર રંગો હોવાથી ઉઠાવ આપે છે.

રોગન પ્રિન્ટિંગમાં, ધાતુના બીબા વાપરી ભાત છાપવામાં આવે છે. રોગન પેઇન્ટિંગમાં, વિસ્તૃત ડિઝાઈન મુક્ત હસ્તથી બનાવવામાં આવે છે, જેમાં સ્ટાઇલસથી રંગના ચીકણા રેલાની સેર બનાવવી રંગો ભરવામાં આવે છે.[૩] મોટેભાગે, કાપડના અડધા ભાગમાં ડિઝાઇનને દોરવામાં આવે છે, પછી બાકીના અડધા કાપડને તેની ઉપર ઉંધો વાળી દાબી દેવામાં આવે છે, આથી તેની ઉલ્ટી ભાત આપોઆપ બાકીના ઉલટા ભાગ પર ઉપસી આવે છે. તેની ભાતમાં ફૂલોના મોટિફ, પ્રાણીઓ અને સ્થાનિક લોક કલાનો સમાવેશ થાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Singh, Maya; Clark, Henry Martyn (1895). The Panjábí Dictionary. Munshi Gulab Singh & sons.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Mahurkar, Uday (12 December 2005). "Kutch family that kept alive Rogan art form hopes to benefit from tourist attention". India Today. મૂળ માંથી 7 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 August 2017.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Spiegel, Claire (7 September 2012). "In Northwest Corner of India, the Work of Centuries". The New York Times. મેળવેલ 21 August 2017.
  4. Pandey, Priya (September 1, 2002). "Rogan artists abandoning their art". The Sunday Tribune, India. મૂળ માંથી 6 November 2004 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
  5. ૫.૦ ૫.૧ "Rogan painting revived at 'Dastkar Basant'". Zee News (અંગ્રેજીમાં). 18 February 2015. મૂળ માંથી 10 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
  6. Parashar, Sachin (3 October 2014). "PM Modi gives Obama rare Rogan paintings made by Gujarat-based Muslim family". The Times of India. મૂળ માંથી 9 July 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 August 2017.
  7. Tripathi, Shailaja (December 24, 2011). "Ready for Rogan". The Hindu (અંગ્રેજીમાં). મૂળ માંથી 10 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
  8. "Rogan fame Nirona to get tourist centre - Times of India". The Times of India. January 6, 2016. મૂળ માંથી 10 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2017.
  9. Kamaladevi Chattopadhyaya (1976). The glory of Indian handicrafts. Indian Book Co. પૃષ્ઠ 34.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]